છત્તીસગઢમાં એનકાઉન્ટરમાં ચાર નક્સલવાદી ઠાર

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. સુરક્ષાદળોના જવાનો દ્વારા ચારે બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *