ટિકિટ ન મળતાં આ નેતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

તમિલનાડુના ઈરોડના સંસદસભ્ય ગણેશ મૂર્તિ (76)એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે સવારે તેમને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ આપઘાતનો પ્રયાસ તેમણે બીમારીના કારણે નહીં પણ પાર્ટી તરફથી ટિકિટ ન મળવાના કારણે કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માહિતી મુજબ, એમડીએમકે પાર્ટી સાથે સંકળાયેલા આ નેતા આગામી લોકસભા ચૂંટણીમાં લડવા માટે સીટ ન અપાયા બાદ એક સપ્તાહ સુધી તણાવમાં હતા. જે બાદ તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *