રાજકોટ કાંડ બાદ સુરતમાં 140 દુકાનો કરાઈ સીલ..

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયરની ટિમ સફાળી જાગી છે. શહેરના ઉધના સ્થિત અનુપમ એમેસિટી સેન્ટર ની 12 દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જિમ, ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ફાયર એન.ઓ.સી રીન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી રીન્યુ માટે નોટિસ આપી હતી. નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *